Placeholder canvas

વાંકાનેર: મહંમદઅર્શ પીલુડીયાએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી…

વાંકાનેર: વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મહંમદઅર્શ સાહિલભાઈ પીલુડીયાએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરેલ છે.

વાંકાનેરની સલોત શેરીમાં રહેતા અને તીથવા phcમાં નોકરી કરતા સાહિલભાઈ પીલુડીયાનો પુત્ર મહમદઅર્શ એ જવાહર નવોદયની પરીક્ષા આપી હતી.આ પરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયેલ છે. તેવો હવે મોરબી જિલ્લાની વાંકાનેરના જડેશ્વર પાસે શરૂ થયેલી જવાહર નવોદય સ્કૂલમાં CBSC સિલેબ્સમાં અભ્યાસ કરશે.

મહમદઅર્શ એ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરીને મનસુરી પીંજારા મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે. મહમદઅર્શને તેમના સગા સ્નેહીઓ અને પરિવારજનો અભિનંદન પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો