વાંકાનેર: મીરસાહેબ પીરઝાદાની અંતિમવિધિ આજે બપોરે 1 વાગ્યે કરવામાં આવશે
વાંકાનેર: વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) નું આજે હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. મીર સાહેબના નિધનથી પીરઝાદા પરિવાર અને મુસ્લિમ સમાજમાં ઘેરા શોખની લાગણી ફેલાય છે.
મોમિન મોટી જમાતના સજ્જાદાનશીન અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય વાંકાનેર) અલ્લાહ તઆલાની રહેમત માં પહોચી ગયા છે. બાવા સાહેબના મદફનનો કાયર્કમ તા: ૧૦-૦૩-૨૦૨૪ ચાંદ ૨૮ શાબાન ૧૪૪૫ રવિવારના રોજ નીચે જણાવેલ સમય પત્રક મુજબ નક્કી કરેલ છે.
- સવાર ના ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સીધી દરગાહ ખાતે દીદાર નો સમય.
- ૧૦:૦૦ વાગ્યે દાણાપીઠ યોક સુધી જનાજા સાથે ચાલતા જઈશું.
- દાણાપીઠ ચોકથી મોમિનશાહ બાવાની દરગાહ સુધી જનાજો વાહન માં જશે.
- બપોરના ઝવાલનો સમય પૂરો થાય પછી બપોરે ૦૧:૦૦ વાગ્યે મોમિનશાહ બાવાની દરગાહ પર સૈયદ અલીનવાઝ બાવા સાહેબ નમાજે જનાજા પઢાવશે.
- નમાજે જનાજા બાદ વાહનમાં મીરૂમીયાં બાવાની દરગાહ ખાતે પરત આવીને દફનવિધી થાસે.
વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.
કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…