વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ મીરસાહેબ પીરઝાદાનું નિધન
વાંકાનેર: વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) નું આજે હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે.
મળેલી માહિતી મુજબ આજે મીર સાહેબને હૃદય રોગનો હુમલો આવતા તેમને તાત્કાલિક પીર મશાયખ દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ઇન્તકાલ (અવસાન) થયેલ છે. મીર સાહેબના નિધનથી પીરઝાદા પરિવાર અને મુસ્લિમ સમાજમાં ઘેરા શોખની લાગણી ફેલાય છે.
મીર સાહેબની અંતિમવિધિનો સમય હજુ તેમના પરિવાર તરફથી જાહેર કરવામાં આવ્યો નથી.
વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.
કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…