Placeholder canvas

વાંકાનેર: મીરસાહેબ પીરઝાદાની સોમવારે જિયારાત, મંગળવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

વાંકાનેર: વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) નું આજે હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેમની દફનવિધિ આજે રવીવારે બપોરે 1 વાગ્યે કરવામાં આવશે.

અલ્હાજ પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ બાવાની ઝિયારત નીચે મુજબ રાખેલ છે.

કુરાન ખ્વાની :-

તા ૧૧/૦૩/૨૦૨૪, સોમવાર, ૨૯શાબાન, હીજરી ૧૪૪૫, બપોરે ૨:૩૦ થી ૪
સ્થળ: પીર સૈયદ મીરૂમીયાં બાવા સાહેબ (ર.અ.) ની દરગાહ શરીફ, લક્ષ્મીપરા, વાંકાનેર

ઝિયારત આમ ન્યાજ :-

તા ૧૧/૦૩/૨૦૨૪, સોમવાર, ૨૯ શાબાન, હીજરી ૧૪૪૫, સોમવાર, સાંજ ના ૦૪:૦૦ થી મગરીબ
સ્થળ: મૌલવી સાહેબ (ર.અ.) ની વાડીમાં,રાજકોટ રોડ, લક્ષમીપરા, વાંકાનેર

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ :-

મોમીન મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય ખુરશીદહૈદર અબ્દુલમુત્તલિબ પીરઝાદા ઉર્ફે મીરસાહેબ નું તા: ૦૯/૦૩/૨૦૨૪, શનિવાર ના રોજ દુઃખદ અવસાન થતા તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે

તા: ૧૨/૦૩/૨૦૨૪, મંગળવાર, સમય: સાંજ ના ૦૪:૦૦ થી ૦૬:૦૦
સ્થળ: દરગાહ શરીફ, લક્ષ્મીપરા, વાંકાનેર.
મો. ૯૮૯૮૪૨૭૪૮૬

આ સમાચારને શેર કરો