Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન…!!

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન જેટલી રજાઓ જાહેર થઈ છે. આજે ડો. આંબેડકર જયંતિની રજા હતી તો આવતીકાલે શુક્રવારે ગુડ ફ્રાઇડેની રજા છે, જ્યારે શનિવારે હનુમાન જયંતિની રજા રાખવામાં આવી છે અને રવિવારે તો રજા હોય જ, જ્યારે સોમવારે માર્કેટિંગ યાર્ડ ખુલશે પરંતુ મંગળવારે ફરી પાછી માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આમ ગુરુથી રવિ રજા છે અને મંગળવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની થયેલી ચૂંટણીના વિવાદિત 31 મતોમાંથી 18 મતોની ગણતરી થવાની હોવાના કારણે રજા રાખવામાં આવેલ છે.

આથી ખેડૂતભાઈઓ એ પોતાનો માલ ક્યારે લઈ જવું અને લઈ ગયા પછી ત્યાં વેચાય નહીં અને પડતર પડિયો રહે તેવી સ્થિતિ ન થાય તે માટે રજાઓ ની નોંધ લેવી. આગામી બુધવારથી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.

આ સમાચારને શેર કરો