Placeholder canvas

વાંકાનેર: માટેલ રોડ ઉપર સિરામિક ક્વાર્ટરમાં આગથી દાઝેલા વધુ બે શ્રમિકોના મોત

વાંકાનેર : માટેલ રોડ પરની ફેકટરીમાં પાંચ શ્રમિકો દાઝી ગયા હોવાની ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યા બાદ વધુ બે શ્રમિકના પણ સારવાર દરમિયાન મોત નિપજયું છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવીટા સિરામિકની લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા રીતેશ ધર્મેન્દ્ર કુશવાહા (ઉ.વ.૨૨), રાહુલ સુમ્મત બંજારા (ઉ.વ.૧૮) વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.વ.૨૨) અને લક્ષ્મણ વિષ્ણુ કહાર તેમજ આશિષ પ્રેમ્લ્લાલ બંજારા (ઉ.વ.૨૦) એમ પાંચ શ્રમિકો ગત તા. ૦૯ માર્ચના રોજ રૂમમાં હોય અને રસોઈ બનાવતી વેળાએ ગેસ લીક થતા આગ લાગતા દાઝી ગયા હતા, જેમાં ત્રણ શ્રમિકોની હાલત ગંભીત હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન અગાઉ આશિષ બંજારા નામના યુવાનનું મોત થયું હતું. બીજી તરફ સારવાર દરમિયાન વિકાસ બંજારા અને લક્ષ્મણ કહાર એમ વધુ બે શ્રમિકોના મોત થયા છે અને બનાવમાં કુલ મૃત્યુ આંક ત્રણ પર પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો