Placeholder canvas

વાંકાનેર: મામલતદાર કુ.કેલૈયાની બદલી, યુ.વી.કાનાણી મુકાયા

વાંકાનેર: તાજેતરમાં જ રાજ્યભરમાં ઘણા મામલતદારોની બદલી કરવામાં આવી છે, તેમાં વાંકાનેર મામલતદાર કુ. એસ.આર.કેલૈયાની પણ બદલી થઇ છે.

વાંકાનેર મામલતદાર કુ. એસ.આર.કેલૈયાની વાંકાનેરમાંથી બદલી કરીને તેમને અમદાવાદ સીટી (સાબરમતી)ના મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે વાંકાનેર મામલતદાર તરીકે ગીરગઢડાના મામલતદાર યુ.વી.કાનાણીને મૂકવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ આજે એસ.આર.કેલૈયાને વાંકાનેર મામલતદારમાંથી છુટા કરવામાં આવશે અને લગભગ સોમવારે નવા મામલતદાર યુ.વી.કાનાણી હાજર થઈ શકે છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો