Placeholder canvas

માળિયા: સુલતાનપુરના પ્રેમી યુગલનો ઝીંઝુડા ગામે સજોડે આપઘાત

માળિયા : માળિયાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલે ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે જઈ એક મંદિર નજીક આવેલ વૃક્ષ નીચે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેમના કબજામાંથી મળી આવેલી 50 રૂપિયાની ચલણી નોટ પર લખાણ મળી આવ્યું હતું કે, યુવકને હું ભગાડીને લાવી છુ, યુવક મને નથી ભગાડી ગયો.

મળેલ માહિતી મુજબ વિશાલ લાભુભાઇ પાટડીયા અને સપના મુન્નાભાઇ સીસણોદા નામના પ્રેમી યુગલે ચોટીલાના ઝીંઝુડા ગામે વૃક્ષ નીચે લટકાઈને આત્મહત્યા કરી લીધી છે. આ પ્રેમી યુગલ માળિયાના સુલતાનપુર ગામનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટનાસ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાની રીતે નાસી છુટ્યા હતા. સમાજ હવે એક થવા નહીં દે તેવી બીકના લીધે બંને પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. મરણ જનાર પ્રેમી યુગલ પાસેથી રૂપીયા 50ની ચલણી નોટ મળી આવી અને તેની પર યુવતીએ લખેલ હતુ કે, યુવકને હું ભગાડીને લાવી છુ, યુવક મને નથી ભગાડી ગયો.

લોકોએ પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.પોલીસે તેમના પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો