Placeholder canvas

મોરબી જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી પદે મજીદ કડીવારને વરણી

વાંકાનેર: મોરબી જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના ભાજપના યુવા કાર્યકર અબ્દુલમજીદ કડીવારની વરણી કરવામાં આવી છે.

વાંકાનેર ભાજપના સર્વેસર્વા કેસરીદેવસિંહજી ઝાલાની સુચના અને માર્ગદર્શનથી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહમદભાઈ બ્લોચ અને હુસેનભાઇ શેરસિયા (પીપળીયા-રાજ)ની ભલામણથી અબ્દુલમજીદ કડીવારની મોરબી જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી પદે નિમણૂક કરવામાં આવી છે.

અબ્દુલમજીદ કડીવારની લઘુમતી મોરચાના મહામંત્રી પદે નિમણૂક થતા ભાજપના કાર્યકરો અને આગેવાનો તેમજ પીપળીયા રાજ ગામના આગેવાનો તાલુકાના લઘુમતી આગેવાનોએ ખુશી વ્યક્ત કરીને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરો