એસ.ટી.કર્મચારી મહામંડળ દ્વારા મહારકતદાન કેમ્પ યોજાયોઃ ૧૦૪૮ લોકોએ કર્યુ રકતદાન

by શાહરૂખ ચૌહાણ – વાંકાનેર
ગુજરાત રાજય એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ સ્વ. સતુભા ભાવસિંહજી ગોહીલની પ્રથમ માસિક પુણ્યતિથિએ ગુજરાત એસ.ટી.ના કર્મચારીઓએ સ્વૈચ્છીક રકતદાન કરી સતુભા ગોહીલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપી પ્રેરણાદાય કાર્ય કર્યુ છે

રાજકોટ એસ.ટી. વિભાગના પ્રમુખ જયુભા જાડેજાએ જણાવ્યું. હતું કે ગુજરાત રાજય એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ સ્વ. સતુભા ભાવસિંહજી ગોહીલની પ્રથમ માસીક પુણ્યતિથિ અ કર્મચારી દ્વારા સ્વૈચ્છીક રકતદાન કેમ્પ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટેના કાર્યક્રમ દરેક ડીવીઝન કચેરીએ યોજાયેલ જેમાં કુલ ૧૦૪૮ કર્મચારીઓએ રક્તદાન કરી પ્રેરણારુપ કાર્ય કર્યુ છે.

આ રકતદાન શીબીર સાથે શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં કર્મચારી મહામંડળના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ જયુભા ડી. જાડેજા, બટુકસિંહ મકવાણા, ઉપરાંત રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કાલોત્રા, ડી.એમ.ઇ. સોની ડેપો મેનેજર વરમોરા, ઠુમર, અનિરૂધ્ધસિંહ પરમાર (શંભુભાઇ) સહીતના એસ.ટી. ના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સ્વ. સતુભા ગોહિલ પ્રત્યેનો કર્મચારીઓનો પ્રેભાવને બીરદાવેલ રાજકોટ ડીવીઝનના પ્રમુખ જ્યુભા ડી. જાડેજોએ સૌનો આભાર માન્યો હતો.

આ સમાચારને શેર કરો