Placeholder canvas

વાંકાનેર:વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા મહાપ્રસાદ યોજાયો.

વાંકાનેર: આજરોજ ૧૫/૦૧/૨૦૨૩ ને રવિવારના રોજ સનાતન હિંદુ ધર્મ ઉદ્ધારક,ચતુ: વૈષ્ણવ સંપ્રદાય સ્થાપક,આનંદભાષ્ય રચયિતા,અનંત વિભૂષિત યતિરાજ જગદ્દગુરૂ રામાનંદાચાર્યજી મહારાજના ૭૨૩ માં પ્રાગટ્ય દિવસે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ- વાંકાનેર દ્વારા છબીરામજીબાપુ (મહંત રઘુનાથજી મંદિર-વાંકાનેર)ની નિશ્રામાં ગુરૂપૂજન તથા જ્ઞાતિ સમુહ મહાપ્રસાદના કાર્યક્રમનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

જેમની સાથોસાથ વાંકાનેર-કુવાડવા મત વિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીનુ વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ-વાંકાનેર તરફથી છબીરામજીબાપુ (મહંત રઘુનાથજી મંદિર-વાંકાનેર) દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો