Placeholder canvas

વાંકાનેર: ભાટીયામાં “ગણપતિ બાપા”ની મહાઆરતી કેસરીદેવસિંહજી ‘બાપા’ની આગેવાનીમાં યોજાય.

વાંકાનેર: ગણપતિ મહોત્સવ ના બીજા દિવસે સમસ્ત હિંદુ સમાજ ગણપતિ ઉત્સવ સમિતિ ભાટીયા ચોક કા રાજાની મહારાણા રાજ સાહેબ કેસરી દેવસિંહજી ઝાલાની આગેવાનીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું.

આ મહાઆરતીમાં વાંકાનેરની ધર્મ પ્રેમી જનતા હજારોની સંખ્યામાં ઊમટી પડી હતી અને દર્શન કરવા માટે ધર્મપ્રેમી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આતકે પધારેલા ડેપ્યુટી કલેકટર અને તેમનો પરિવાર, મેડિકલ ઓફિસર, સીટી પી.આઇ. વસાવા અને તેમનો પરિવાર, વાંકાનેર શહેર ભાજપ અને તાલુકા ભાજપના આગેવાનોએ ગણેશ મહોત્સવની ભવ્ય અને અલૌકિક આરતીનો લાભ લીધો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો