Placeholder canvas

વાંકાનેર: મગફળી ખરીદીની નોંધણીની મુદ્દત વધારો -શકીલ પીરઝાદા

વાંકાનેર : સરકાર દ્વારા મગફળીની ખરીદી માટે નોંધણીની મુદત વધારવા બાબતે વાંકાનેરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ડો. શકીલ એ. કે. પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા મગફળી ખરીદીની નોંધણી તા. 01/10/2020થી શરૂ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકામાં તા. 06/10/2020 સુધી 204 ખેડુતોએ પોતાની મગફળી વેચવા નોંધણી કરાવી છે. જયારે ટંકારામાં 8519, માળીયામાં 230, મોરબી 1537, હળવદ 2608 ખેડૂતોની નોંધણી તા. 06/10/2020 સુધી થઈ છે. પરંતુ વાંકાનેરમાં નોંધણી ઓછી થવાનું કારણ એ છે કે વાંકાનેર વિસ્તારમાં મગફળીનું વાવેતર થોડું મોડું થયું છે અને ખેડુતોને અન્ય વિસ્તાર કરતા થોડા સમય પછી મગફળીનું ઉત્પાદન પ્રાપ્ત થશે. ત્યારે વાંકાનેરના ખેડુતોને બીક છે કે જો તેઓ હાલ શરૂના તબકકે નોંધણી કરાવશે. અને મગફળી પાકી નહી હોઈ તો તેમનો વારો જતો રહેશે. માટે સરકાર દ્વારા મગફળી ખરીદીની નોંધણીમાં 30 દિવસનો વધારો આપવામાં આવે. જેથી, તમામ ખેડુતો નોંધણી કરાવી પોતાના મગફળી ટેકાના ભાવે સરકારને વેચી શકે, તેવી અપીલ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો