દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો દબદબો….
(promotional Artical)
ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાના આજરોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રમાં મદની હાઈસ્કૂલનો દબદબો યથાવત રહ્યો છે, જેમાં કેન્દ્રમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ક્રમો પર મદની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે….
આજરોજ જાહેર થયેલ પરિણામોમાં સિંધાવદર કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણેય સ્થાન પર મદની સ્કૂલના વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે. જેમાં પ્રથમ નંબર પર 98.44 PR અને 89.50 % સાથે વકાલીયા કમરનીશા એન., દ્વિતીય સ્થાન પર 98.53 PR તથા 88.66 % સાથે પરાસરા સરમીન જી. અને તૃતીય સ્થાન પર 97.93 PR અને 87.33% સાથે શેરસીયા રસ્મીન એન. આવ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિંધાવદર કેન્દ્રના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે…
આપનાં બાળકના સર્વાંગી વિકાસ તથા ઉચ્ચ શિક્ષણ માટે આજે જ મદની સ્કુલનો સંપર્ક કરો…