Placeholder canvas

વાંકાનેર:મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિએ આજે બે બિનવારસી મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા.

વાંકાનેર : આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બે બિનવારસી મૃતદેહો આવ્યા હતા,જેમાં એક મૃતદેહ ગઈકાલે ઢુવા પાસેના એક કારખાનામાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હતી તે મહિલાનો અને બીજો રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટ આવેલ કોઈ આજાણ્યા પુરુષનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ હતા તેમને જાણ મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિના સભ્યોને કરવામાં આવતા તેઓએ આ બંને મૃતદેને હિન્દુ ધર્મની પરંપરા મુજબ તમામ વિધિઓ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

જ્યારે જ્યારે વાંકાનેરમાં બિનવાસી મૃતદેહ મળી આવે છે ત્યારે ત્યારે હા મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિના સભ્યો દ્વારા નિસ્વાર્થ ભાવે આવા મૃતદેહના અગ્નિસંસ્કારની વિધિ કરવામાં આવે છે. તેમનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આમ ઘણા સમયથી મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિના સભ્યો નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરી રહ્યા છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

આ સમાચારને શેર કરો