Placeholder canvas

વાંકાનેર: વરડૂસર ગામે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામમાં ઘરેથી ભાગી ગયેલ પરણિત પ્રેમી અને યુવતીએ સજોડે ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

વરડુસર ગામની સીમમાં તળાવ પાસે ગઈકાલે માનસીંગભાઇ દિનેશભાઇ સેટાણીયા (ઉ.વ. 25) અને શીલ્પાબેન મનસુખભાઇ સારલા (ઉ.વ. 22)ની ગળા ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવેલ હતી. આ બંને પ્રેમી-પંખીડાઓ ગત તા. 12 જુલાઈના રોજ પ્રેમસંબંધ હોવાથી ઘરેથી જતા રહેલ હતા. ત્યારબાદ બંનેએ કોઇ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું હતું.

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બનાવની નોંધ કરી પોલીસે આપઘાતના કારણ સહિતની આગળની તપાસ આદરી છે.

આ સમાચારને શેર કરો