Placeholder canvas

ચોટીલામાં એસ.પી.ની. અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો.

ટ્રાફિકના પ્રશ્ન અંગે લોકોએ રજુઆત કરી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતામાં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામા આવ્યું હતું.લોકદરબારમાં શહેરમાં વધુ પડતી ટ્રાફિક સમસ્યાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

જિલ્લા પોલોસ વડા હરેશ દુધાત,ચોટીલા મહિલા પોલીસ ઇન્સ્પેકટર આઇ.બી.વલ્વી તેમજ ચોટીલા વેપારીઓ,રાજકીય પક્ષો ના આગેવાનો, ચામુંડામાતાજી તેમજ જલારામ મંદિરના મહંત પરિવાર,પોલીસ કર્મીઓ સહિતના લોકોની ઉપસ્તીથીમાં લોકદરબાર યોજાયો હતો.

લોકદરબારમાં શહેરમાં પડતી ટ્રાફિક ની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લોક રજુઆતમાં લોકોએ શહેરમાં આવેલ રોડ બાબતે થાન રોડ થી હાઇવે સુધીમાં અવરજવર કરતા ભારે વાહનોને સવારથી સાંજના સમયે સુધી પ્રતિબંધિત કરવા તેમજ મુખ્ય બજારોમાં પણ વાહનોની અવરજવર થી લોકોને પડતી .મુશ્કેલીઓ અંગે ચર્ચાઓ કરાઈ હતી. આ બાબતે પોલીસે જેટલું બની શકે તેટલું નિરાકરણ લાવવા માટેની ખાત્રી આપવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો