Placeholder canvas

વાંકાનેર: દિપડાએ મહિકા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ઘેટાનું મારણ કર્યું..!!

વાંકાનેર: અવાર નવાર દિપડાઓ સિમ‌ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના મહિકા ગામે ગતરાત્રીના ખેડૂતના ઘરમાં ઘૂસી દિપડાએ એક ઘેટાનું મારણ કર્યું હતું.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઇવે પાસે અજવા કોમ્પલેક્ષ પાછળ સોસાયટીમાં રહેતા બાદી ઇલ્મુદ્દીન દોસમામદભાઈ (કેજીએન પાન) નામના ખેડૂતનાં ઘરે ગતરાત્રીના પાંચ ફુટ ઉંચી દિવાલ કુદી દિપડો ઘરમાં ઘૂસી ફળીયામાં બાંધેલ એક ઘેટાનું મારણ કર્યું હતું. જયારે સવારે ઘરના સભ્યો ઉઠતા આ બાબતની જાણ થઈ હતી. જેથી અત્યાર સુધી સીમ વિસ્તાર પુરતા સીમિત રહેતા જંગલ પ્રાણીઓ ગામમાં પ્રવેશ કરતાં વિડી વિસ્તારની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આ બાબતે ફોરેસ્ટ વિભાગ એવો દાવો કરી રહ્યું છે કે આ મારણ દીપડાએ કરેલ નથી. હકીકત જે હોય તે પરંતુ ખેડૂતે પોતાનો કિંમતી માલ ગુમાવ્યો છે એ એક હકીકત છે.

આ સમાચારને શેર કરો