Placeholder canvas

વાંકાનેર: અરણીટીંબાના મોમીન સમાજના આગેવાનોએ નુપૂર શર્મા વિરુધ્ધ મામલદારને આવેદનપત્ર આપ્યું

By આરીફ દીવાન
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના મોમીન મુસ્લિમ સમાજના આગેવાનોએ કોમી એકતા જળવાઈ રહે અને હિંદુ મુસ્લિમ ભાઈચારો યથાવત રહે તેવા હેતુસર આવેદનપત્ર પાઠવ્યું છે.

હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ વિશે અશોભનીય શબ્દનો ઉપયોગ કરી ટીવી ડિબેટમાં નુપુર શર્માએ મહંમદ પયગંબર સાહેબ વિષે જે ટિપ્પણી કરતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી જન્મી છે ઠેરઠેર આવેદનપત્રો સમાજ દ્વારા પાઠવી નુપુર શર્મા સામે વિરોધ સાથે આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.

આજે વાંકાનેર તાલુકાના અરણીટીબા ગામના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, આગેવાનોએ વાંકાનેર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું, જે આવેદનપત્રમાં જણાવ્યું છે કે નુપૂર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોમી એકતા ભાઈચારો જળવાઈ રહે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો