Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળીમાં ખરાબાની જમીનમાં મકાન બનાવનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સરકારી જમીન ઉપર 150 ચોરસ મીટર જગ્યામાં બાંધકામ કરી મકાન બનાવી લેનાર આસામી વિરુદ્ધ મામલતદારે લેન્ડ ગ્રેબિંગ એકટ કાયદા મુજબ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 424 પૈકીની 150 ચોરસ મીટર સરકારી જમીન ઊપર આરોપી માવજીભાઈ લાલજીભાઈ વોરા મૂળ રહે. રાતીદેવળી હાલ અમદાવાદ વાળાએ પાકું મકાન બનાવી વાડો બનાવી લેતા આ મામલે વાંકાનેર મામલતદાર ઉતમકુમાર વિનયભાઈ કાનાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો