Placeholder canvas

તમે માનશો નહિ!: લખતરમાં ATM પૈસા લેવા ગયેલો વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈને બહાર નીકળ્યો !!

તમે માનશો નહિ!: લખતરમાં એસ.બી.આઈ ના એ.ટી.એમ.માં યુવક ATMમાં પૈસા લેવા ગયોને ઇજાગ્રસ્ત થઈને બહાર નીકળ્યો !! કેમ ? તે જ્યારે પૈસા લેવા atmમાં ગયો બરાબર એજ સમયે એ.ટી.એમ.ની છતના ધાબાનો ભાગ તુટીને પડતા તેમને ગંભીર રીતે ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, લખતર તાલુકાના ભડવાણા ગામે રહેતા ગોપાલસિંહ રાણા પોતાની બે દિકરીઓ સાથે લખતર ગયા હતા ત્યારે પૈસાની અચાનક જરૂર પડતા લખતરમાં નવા બસસ્ટેન્ડની બાજુમાં આવેલ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયા હતા બરોબર એજ વખતે એ.ટી.એમની છતનો ભાગ પી.ઓ.પી સહીત ગોપાલસિંહ ઉપર પડતા તેઓ કાઠમાળ નીચે દબાઈ ગયા હતા.

આવી ઘટના બનતા બહાર ઉભેલી તેમની દિકરીઓ એ ગભરાઈને બુમાબુમ કરતા આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા અને ગોપાલસિંહ બહાર કાઢી સારવાર માટે સરકારી દવાખાને લઈ ગયા હતા.

આ સમાચારને શેર કરો