Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા ગામે ખેલાયો ખૂની ખેલ, એકની હત્યા પાંચથી વધુને ઇજા

વાંકાનેર ગતરાત્રે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે ખૂની ખેલ ખેલાયો હતો તેમાં એક વ્યક્તિની હત્યા અને પાંચથી વધુને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગત રાત્રે દેવી પૂજકમાં અંદરો અંદર ખૂની ખેલ ખેલાયો હતો, તેમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું અને પાંચથી વધુ લોકોને ઇજા થઇ હતી. આ ઇજાગ્રસ્તોને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમાંથી અમુક વધુ ઇજાગ્રસ્તોને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

આ દેવીપુજકમાં અંદરોઅંદર થયેલી અથડામણની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા જ તેઓ પંચાસીયા ખાતે દોડી ગયા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લઈને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મળેલી માહિતી મુજબ હુમલો કરનાર વ્યક્તિ હાલમાં પોલીસની પકડથી દૂર છે પોલીસ તેમને પકડવા માટેની ગતિવિધિ ચાલુ કરી દીધી છે.

આ સમાચારને શેર કરો