Placeholder canvas

વાંકાનેર : લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

વાંકાનેર : વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને તા.૧૪/૦૨/૨૦૨૧ ના રોજ વહેલી સવારના પાંચ વાગ્યાથી સાતેક વાગ્યાની આસપાસ આરોપી શીવમ દેવજીભાઇ પરમાર (રે.કલ્યાણપર તા.ટંકારા) એ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો