skip to content

વાંકાનેર: ખખણાના છગનભાઈને કરે હડફેટ લીધા…

વાંકાનેરનાં ખખાણા ગામે રહેતાં છગનભાઈ વસરામભાઈ બાવળીયા (ઉ.વ.૪૩) આજે બાઈક લઈને જેપુર ગામેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ જવાના રસ્તા નજીક સ્વીફટ કારના ચાલકે તેને હડફેટે લેતાં ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.એરપોર્ટ પોલીસે મૃતકનાં પુત્ર વિજય (ઉ.વ.ર૧)ની ફરિયાદ પરથી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો