Placeholder canvas

વાંકાનેર: ખીદમતે ખલ્ક ગ્રુપને પવિત્ર રમજાન માસમાં આર્થિક સહયોગ કરવા અપીલ…

વાંકાનેર વિસ્તારમાં વિધવા બહેનો અશકત વૃધો અને યતીમ બાળકોને રાસન કીટ તેમજ એમ્બ્યુલન્સ સેવા અને આખરી સફર (શબવાહિની) ની કામગીરી કરતું વાંકાનેરનું જાણીતું ખીદમતે ખલ્ક ગ્રુપને પવિત્ર રમજાન માસમાં આર્થિક સહયોગ કરવાની અપીલ કરી છે.

વાંકાનેરના આ ખીદમતે ખલ્ક ગ્રુપ ૭૦ જેટલી વિધવા બહેનો, અશકત વૃદ્ધો અને યતિમ બાળકોને દર મહિને નિયમિત 500 રૂપિયાની રાશન કિટ આપી રહ્યું છે. સાથોસાથ કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર, નહિ નફો નહિ નુકસાનના ધોરણે એમ્બ્યુલન્સ સેવા અને આખરી સફર (શબવાહિની) કોઈ પણ ફરજિયાત ચાર્જ વગર ચલાવી રહ્યું છે.

ખીદમતે ખલ્ક ગ્રુપ આ તમામ સેવાઓ દાતાઓના સહયોગથી કરી રહ્યું છે. ત્યારે રમજાન જેવા પવિત્ર માસમાં આ ગ્રુપને આર્થિક સહયોગ કરવા માટે ગ્રૂપના સંચાલક ગફારભાઈ મંત્રીએ અપીલ કરી છે.

વધુ માહિતી અને મદદ કરવા માટે ગ્રૂપના સ્થાપક ગફારભાઈ મંત્રીનો 9428265711 પર સંપર્ક કરવો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો