વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં જોડાયા : આજે રાત્રે તીથવા

વાંકાનેર: વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી બાપા આજથી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, તેમની સાથે મહાવીરસિંહ ઝાલા (પૂર્વ સરપંચ રાતીદેવળી) કિશોરસિંહ ઝાલા (સરપંચ કોઠારીયા) રાજભા ઝાલા (સરધારકા) તેમજ અન્ય ભાજપના આગેવાનો જોડાશે.

આજે રાત્રે તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારના પ્રચાર માટે કેસરીદેવસિંહજી અને ભાજપના સાથી આગેવાનો તીથવા ગામ ખાતે પ્રચાર માટે જશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી કેસરીદેવસિંહજી ના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે. કેસરીદેવસિંહજી ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માગતા નથી અને તેઓ વાંકાનેર તાલુકાના તમામ ગામડાઓમાં ચૂંટણી પ્રચાર માટે જશે.

ગઈ કાલે તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નૂરજહાંબેન કડીવારના ચૂંટણી પ્રચારમાં અમરસર ગામમાં રાત્રે ઈસ્માઈલભાઈ કડીવાર અને તેમના સાથીઓ ગયા હતા. જ્યાં તેમને ખૂબ સારો લોક આવકાર મળ્યો હતો

આ સમાચારને શેર કરો