Placeholder canvas

અરલવી: મોડાસામાં અનુસુચિત જાતિની યુવતી પર દુષ્કર્મના વિરૂધ્ધમાં કેન્ડલ માર્ચ…

By મયુરી મકવાણા -જૂનાગઢ

અમદાવાદઃ ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક દલિત વિદ્યાર્થીનીના મોત બાદ લોકો ગુસ્સામાં છે. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો છે કે 19 વર્ષીય વિદ્યાર્થીનીની સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. યુવતીના પરિવારના લોકોએ પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે આ મામલે ગંભીર બેદરકારી રાખી છે. જણાવીએ કે, યુવતીનું શબ ઝાડ પર લટકતું જોવા મળ્યું હતું.

મોડાસાના સાયરા ગામની 19 વર્ષીય યુવતી કે જે પાંચ દિવસથી ગુમ હતી, તેની લાશ પાંચ દિવસ પહેલાં ઝાડ પર લટકતી જોવા મળી હતી. જે બાદ આ મામલે યુવતીના માતા પિતા અને સમાજના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને બળાત્કાર સહિતની કલમો ન ઉમેરાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પણ આ સમયે પોલીસની ઢીલી કામગીરી સામે આવી હતી. આ કેસમાં પણ પોલીસે ત્વરિત એક્શન લેવામાં ચૂક કરી હતી. પણ પોસ્ટમાર્ટમમાં યુવતી પર બળાત્કારની પૃષ્ટિ થયા બાદ પોલીસે આ મામલે બળાત્કાર સહિતની કલમો ઉમેરી ગુનો નોંધ્યો હતો.

કેશોદ અનુ સુચીત જનજાતિના લોકો દ્વારા અરવલ્લી જિલ્લામાં અનું સુચિત જાતિની દિકરી સાથે જે દુષ્કર્મ આચરીને હત્યા કરીને એક ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હતી. આ જધન્ય ગુનો આચરનાર ને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય તે માટે કેશોદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં કેશોદ મેઘવાળ પંચના પ્રમુખ બાબુભાઈ રાવલીયાના વડપણ હેઠળ કાઢવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં માજી ધારાસભ્ય સામતભાઈ રાઠોડ, જીવાભાઈ પરમાર સહિતના આગેવાનો, યુવાનો અને સમાજના ભાઇ- બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખે પણ અવાજ ઉઠાવ્યો

સોશિયલ મીડિયા યૂઝર્સની જેમ બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખે પણ અવાજ ઉઠાવ્યો છે અને આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે તેના ટ્વીટર હેન્ડલ પર જઇને લખ્યું છે કે,”19 વર્ષિય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ગેંગરેપ કરાયો હતો, હત્યા કરવામાં આવી હતી અને ઝાડ પર લટકાવવામાં આવી હતી. તે ક્યા ધર્મની હતી તે ભૂલી જાવ, તે કયા જાતિની હતી તે ભૂલી જાવ. માત્ર યાદ રાખો કે તે એક યુવતી હતી તેની આગળની આશા અને આકાંક્ષાઓનું આખું જીવન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. ગુનેગારોને જાહેરમાં લટકાવો.”

આ મામલે રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂઝાએ પણ ટ્વીટ કર્યું છે. જેનેલિયાએ લખ્યું છે. આવા કૃત્ય માટે આપણે ખાલી માંગતા રહીશું અને કોઇ કડક પગલા નહી ભરી શક્તા, આપણે આ પ્રકારના ગુના માટે શામાટે નિષ્ફળ થઇએ છીએ… હાર્ટબ્રોકન…

આ સમાચારને શેર કરો