Placeholder canvas

મોરબી: દિલ્હીમાં રાજ્યપાલને સતા આપવાના વિરોધમાં મોરબી ‘આપ’નું આક્રોશ પ્રદર્શન

મોરબી : દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા બહુમતીના જોરે દિલ્હી સરકારના હકો છીનવી રાજ્યપાલને આપવાનો કાયદો ઘડવામાં આવેલ છે, જે કાયદા દ્વારા પ્રજાએ પોતાના કિંમતી મતો આપી દિલ્હીમાં જે સરકાર બનાવી છે, તેને કેન્દ્ર સરકાર પોતાના ઇશારે નચાવી શકે છે જે ખરેખર લોકશાહી માટે ખતરો છે જે માટે આજે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આક્રોશ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલ અને કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચાર કરી રોષ પ્રગટ કર્યો હતો.

આ સમાચારને શેર કરો