Placeholder canvas

વાંકાનેર: વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જગોદણાએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી.

વાંકાનેર, કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ધો.6 થી આગળના અભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત હોય છે.જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રકારની અને ખૂબજ કઠીન હોય છે.

આ JNV પરીક્ષામાં વઘાસિયા પ્રાથમિક શાળાના જગોદણા જેનીલને શિક્ષક દંપતી પુનમબેન અને નરેશભાઈ દ્વારા તૈયારી કરાવેલી તેમજ શાળાના બધા શિક્ષકો દ્વારા ખૂબ તૈયારીના પરિણામના સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે.શાળા પરિવાર તથા આચાર્ય અલ્પેશ દેશાણી જેનિલને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચારને શેર કરો