Placeholder canvas

ટંકારા: જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સમૂતિ ભવનનુ લોકાર્પણ કરાયું

આર્ય સમાજ મંદિરે વેદોની જ્યોત ઝળહળી ઉઠશે.

ટંકારા તાલુકાના જીવાપર ગામે તારીખ 2/5/2023 ને મંગળવારે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળો નુ સુત્ર આપનાર કુરીવાજો સતિપ્રથા સહિત ની બંદી સાથે બાથ ભીડી આર્ય સમાજ ની સ્થાપના કરનાર ભારતના ભિષમપિતા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સમૂતિ ભવનનુ નવું નિર્માણ કરી નગરજનો હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આર્ય સમાજ મંદિરે હવે વૈદિક કાર્યક્રમો સમાજ જાગુતાના કાર્ય હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે વાલજીભાઈ ઢોલરીયા, જસમતભાઈ હાપલિયા અમદાવાદ, ભાવેશભાઈ હાપલિયા, મહાદેવભાઇ રંગપરીયા, કાનજીભાઈ લુણાગરિયા કાંતિભાઈ ડાકા સહિતના ગ્રામજનો આમંત્રિત અતિથી હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો