વાંકાનેરના જીનપરામાં હાર્ટ એટેક આવતા વૃદ્ધનું મૃત્યુ
વાંકાનેર: જીનપરા ખાતે રહેતા વૃદ્ધનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના જીનપરા ખાતે રહેતા 64 વર્ષીય હેમંતભાઈ નરસિંહભાઈ કાપડિયાને સરકારી હોસ્પિટલ ખાતે અગમ્ય કારણસર દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને ચકાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે તો તપાસ અધિકારી એ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં હેમંતભાઈનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.