Placeholder canvas

મોરબી: જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો: HCએ જામીન અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે.

ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી.

આ સમાચારને શેર કરો