Placeholder canvas

વાંકાનેર સીટ પર સતત પાંચમી વખત પીરઝાદાની પસંદગી કરતી કોંગ્રેસ…

વાંકાનેર: 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે સતત પાંચમી વખત વાંકાનેરના કોંગે અગ્રણી મહંમદ જાવીદ પીરઝાદાની પસંદગી કરેલ છે.

તેવો 2002માં પ્રથમ વખત 67 વાંકાનેર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, આ ચૂંટણી તેવો હારી ગયા હતા. ત્યારબાદ 2007, 2012 અને 2017 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ આ પાંચમી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

મહંમદજાવીદ પીરઝાદા પોતે ત્રણ વખત આ સીટ પર ચૂંટાયા છે એક વખત હાર્યા છે અને ફરી પાછા આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. તેમના મોટાભાઈ મીરસાહેબ પીરજાદા અને મંજૂરહુસેન પીરઝાદા તેમજ તેમના પિતા ડો. એ. કે. પીરજાદા આ બેઠક પર ચૂંટાયા હતા. તેમના પરિવાર એ ગુજરાતની વિધાનસભામાં વાંકાનેરનું છ ટર્મ પ્રતિનિધિત્વ કરેલ છે.

આ સમાચારને શેર કરો