skip to content

વાંકાનેર: જામસરમાં અજાણ્યા પુરૂષની હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ….

વાંકાનેર: જામસર ગામેં થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષની માર મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી મૃતક અજાણ્યો શખ્સ જામસર ગામે મહિલાઓ સામે જોઇ અજાણી ભાષા બોલતો હોય, જેને જતું રહેવાનું કહેવા છતાં ત્યાંથી ન જતા બે શખ્સોએ મળી લાકડી તથા દોરડા વડે ઢોરમાર મારતાં યુવાનનું મોત થયું હોવાનો ખુલાસો થયા બાદ આ મામલે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામેં એક અજાણ્યો પુરુષ આમ તેમ આંટા મારતો હોય અને ન સમજાય તેવી ભાષા બોલતો હોય તેમજ મહીલાઓ સામે જોઇ બોલતો હોય જેને ગામમાંથી નિકળી જવાનું કહેવા છતાં ગામમાંથી ન જતા આરોપી પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરીયાએ મૃતકને લાકડીથી આડેધડ માર મારી તથા આરોપી અશોકભાઈ નથુભાઈ દેલવાડીયાએ દોરડા વડે માર મારતાં અજાણ્યા પુરૂષનું મોત થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ઉપરોકત બંને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો