ચંદ્રપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમોને ખોબલે ને ધોબલે મત આપનાર તમામ મતદારોનો દિલથી આભાર -સંજર પરિવાર

વાંકાનેર : ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટની ચૂંટણીમાં થયેલ મતદાનની ગણતરી આજે થતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુજાનબેન યાકુબભાઈ શેરસીયા (સંજર)નો ઐતિહાસિક ભવ્ય વિજય થયો છે. આ ઐતિહાસિક અને ભવ્ય વિજય અપાવનાર ચંદ્રપુર ગામ, તોહીદા પાર્ક, દરબાર વાડી, ગુલશન પાર્ક ભાટિયા સોસાયટી અને આ બેઠકમાં આવતા તમામ વિસ્તારના અને તમામ મતદારોનો અમો સંજર પરિવાર દિલથી જાહેર આભાર માનીએ છીએ.
ચંદ્રપુર બેઠક ઉપર 642 જેટલી ગૌરવપૂર્ણ લીડથી અમને વિજય અપાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ થયુ ત્યાંથી ગણતરી સુધી અને છેલ્લે વિજય સરઘસ સુધી તનતોડ મહેનત કરનાર અમારા સાથીઓ, શુભેચ્છકો, મિત્રો, વડીલો ચાહકો અને કોંગ્રેસ પરિવારના કાર્યકરો અને વડીલો એ અમારા માટે જે મહેનત કરી છે, તેમજ ખાસ કરીને ચંદ્રપુર બેઠકના મતદારો જેવો એ અમારા પર વિશ્વાસ મૂકીને પોતાનો કિંમતી મત અમોને આપી અને આ ગૌરવ પૂર્ણ વિજય અપાવ્યો છે તે માટે ફરી એકવાર બધાનો દિલથી આભાર માનીએ છીએ…
હવે અમો ચંદ્રપુર બેઠકના પ્રતિનિધિ છીએ અને સમગ્ર બેઠક અમારું કાર્યક્ષેત્ર છે, આપણે બધા જ સાથે મળીને આપણી આ બેઠકના વિસ્તારમાં સારા કામો કરીએ અને લોકોને સારી સુવિધા અપાવી તે માટે અમો સમગ્ર બેઠકના તમામ આગેવાનો પાસે સહયોગ માગીએ છીએ અને સાથે મળીને કામ કરવાની શરૂઆત કરીએ, આશા છે તમામનો સહયોગ મળશે.
સુજાનાબેન યાકુબભાઈ શેરસિયા (સદસ્ય તાલુકા પંચાયત)
– શેરસિયા યાકુબભાઈ ઉસ્માનભાઈ (સંજર)
તેમજ સંજર પરિવાર અને કોંગ્રેસ પરિવાર
આ સમાચારને શેર કરો