Placeholder canvas

વાંકાનેર: ક્રેઝ ફાર્માવાળા ઈસ્માઈલભાઈ શેરસીયાનું ઇન્તેકાલ

બપોર બાદ તેમના ગામ અમરસર ખાતે દફનવિધિ (અંતિમવિધિ) કરવામાં આવશે…

વાંકાનેર: અમરસર ગામના અને વાંકાનેરમાં ક્રેઝ ફાર્મા નામે હોલસેલ મેડિકલનો બિઝનેસ કરતા ઈસ્માઈલભાઈ શેરસીયાનું આજે દુ:ખદ અવસાન થયેલ છે.

તેઓ આર.ડી.સી. બેંકના પૂર્વ મેનેજર શેરસીયા સાહેબના નાનાભાઈ અને આસીમ શેરસીયાના પપ્પા તેમજ વસીમ શેરસીયાના કાકા થાય

ઈસ્માઈલભાઈને કાલે રાજકોટ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. તેઓનું આજે વહેલી સવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે.

ઇસ્માઈલભાઇ ખૂબ સારા અને મળતાવડા સ્વભાવના માણસ હતા. તેવો કપ્તાન ન્યુઝની ઓફિસની બાજુમાં મેડિકલ હોલસેલનો બિઝનેશ કરતા હતા. તેઓ હવે આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા છે. ત્યારે કપ્તાન પરિવાર ઇસ્માઈલભાઇ શેરસીયાને ખીરાજ-એ-અકીદત પાઠવે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો