ગેલેક્સી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીની ફેલાયેલી અફવા સાચી કે ખોટી ? જાણવા વાંચો.

વાંકાનેર: થોડા કેટલાક દિવસોથી વાંકાનેરની બજારમાં અફવા ફેલાણી છે કે ગેલેક્સી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી નબળી પડી છે, જેમના કારણે બેન્કમાંથી લોકો પૈસા ઉપાડવા માટે ઘસારો વધી ગયો છે. અમુક લોકોએ તો પાકતી મુદત નજીક હોવા છતાં ફિડી પણ તોડાવી છે. ત્યારે ખરી હકિકત શુ છે? તે જાણવાની કોશિષ કરી છે, અમોને મળેલ માહિતી અત્રે પ્રસ્તૃત છે.

શ્રી ગેલેકસી ક્રેડીટ કો. ઓ.સો. લી. વાંકાનેરની આર્થિક સ્થિતિ બાબતે તથા સોસાયટીમાં રોકેલા નાણાની સલામતી બાબતેની અફવા આ સોસાયટીના વસુલાત માટે જેમની ઉપર કોર્ટે કાર્યવાહી કરેલ હોય તેવા ખાતાધારકો તથા લોન નામંજુર થનાર લોકો કે વિઘ્નસંતોષીઓ દ્રારા સોસાયટીની સધ્ધરતા વિષે અફવાઓ ફેલાવવામાં આવેલ છે. તેવું મેનેજમેન્ટનું કહેવું છે,

મેનેજમેન્ટ વધુમાં જણાવે છે કે અન્ય જગ્યાએ નાણાકિય સ્કિમોમાં ટુંકા ગાળામાં ડબલ રકમની લાલચમાં મોટી રકમની નુકશાની પામનાર લોકોની લોન નામંજુર કરવાના કારણે આવા લોકો દ્રારા પણ સોસાયટીની આર્થિક સધ્ધરતા બાબતે ખોટી અફવાઓ ફેલાવવામાં આવેલ છે. હકીકતમાં આ એક પ્રકારનો સમજણપુવૅકનો બદઈરાદા સાથેનો ખોટો પ્રચાર છે. સોસાયટીમાં મુકેલ સભાસદોની તમામ પ્રકારની થાપણ સલામત છે. સભાસદોના રોકાણ માટે ચિંતાનું કોઈ કારણ નથી. ખોટી અફવાઓથી દુર રહી સભાસદો સોસાયટીના નિયત સમય દરમયાન પોતાના ખાતામાંથી નાણાંકિય વ્યવહાર કરી શકે છે. તેમ સોસાયટીના સંચાલકો દ્રારા જાણવાં મળેલ છે. ગેલેક્સી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી મેનેજમેન્ટ તેના દરેક ગ્રાહકો અને રોકાણ કરતાઓની સાથે છે અને નાણાની સલામતીની ખાતરી આપે છે. માટે અફવાઓથી ગભરાવવાની જરૂર નથી.

જોકે બજારમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા લોકો ફિડી તોડાવીને પૈસા લઈ ગયા છે તેમજ ખાતામાં રહેલા પૈસા ઉપાડ્યા છે તેવા લોકો હવે પાછા મુકવા પણ આવી રહ્યા છે. ગેલેક્સી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનું મેનેજમેન્ટ તેમના ગ્રાહકોનો કોઈ પણ નિર્ણય માન્ય છે અને બેંકનું કામ તેમના રેગ્યુલર સમય મુજબ ચાલુ છે અને રહેશે. આ સમય દરમિયાન પૈસાની લેવડદેવડ કરી શકાશે.

આ સમાચારને શેર કરો