Placeholder canvas

વાંકાનેર: એ.કે.સ્ટેશનરી વાળા ઈકબાલભાઈનું અવસાન,કાલે જિયારત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કણકોટ-2 માં રહેતા અને વાંકાનેરમાં લીમડાચોક ખાતે હાજઅલી કોમ્પલેક્ષમાં એ.કે.સ્ટેશનરીની દુકાન ચલાવતા શેરસીયા ઈકબાલભાઈ અમીભાઈ (ઉ.વ.45)નું ગઈ કાલે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલા ઈકબાલભાઈ સાંજના સમયે બાઇક પર પોતાના ઘરે કણકોટ જઈ રહ્યા હતા ત્યારે સેવાસદનથી થોડા આગળ ન્યારા પેટ્રોલ પંપ સામે અચાનક કૂતરું આવી જતા બાઈકનું અકસ્માત થયું હતું. જેમાં ઇકબાલભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ગઈ કાલે ઈકબાલભાઈએ રાજકોટ હોસ્પિટલે તા.6/10/2022 ના રોજ આખરી શ્વાસ લીધો હતો અને તેઓને પોતાના ગામ કણકોટ-2 ના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. તેમની જ્યારત આવતી કાલે તા.8/10/2022 ને શનિવારના રોજ સવારે 8:00 કલાકે તેમના ગામ કણકોટ-2 ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો