Placeholder canvas

વાંકાનેર: નશાકારક શિરપની ૩૨૦ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપરથી પોલીસે ઇકોમાંથી આયુર્વેદિક નશાકારક શિરપની ૩૨૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગ દરમ્યાન સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી ઉપરથી સુરેશભાઇ ચૌહાણ ઉવ.૨૪ રહે. હાલ-નવા જાંબુડીયા મુળ ગામ-ખડીયા તા.માણાવદરવાળાને ઇકો કાર નં.GJ-36-5-8016માંથી આયુર્વેદિક નશાકારક શિરપ કુલ બોટલ નંગ.૩૨૦ કી.રૂ.૪૮૦૦૦/-તથા ઇકો કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૨૪૮૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પીએસઆઈ બી.પી.સોનારા, સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ.ચમનભાઇ ચાવડા, પો.કોન્સ. હરીશચદ્રસિંહ ઝાલા, સંજયસિહ જાડેજા, રવીભાઇ કલોત્રા, વિજયભાઇ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો