વિરમગામ ખાતે ગોપ્રેમી મુસ્લિમ અને ભરવાડ યુવાનોની ઇજાગ્રસ્ત ગાયને સારવાર અપાવી.
By ફારૂક મદાર
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
અમદાવાદ: વિરમગામ ખાતે ગઈ કાલે વિરમગામ રેલવે સ્ટેશન થી અમદાવાદ તરફ અડધા કિલોમીટરના દૂર રેલવે ટ્રેક પર રાત્રી ના 7:30 વાગ્યાની આસપાસ એક માલગાડી હડફેટ એક ગાય વાછરડું આવી જતા વાછરડા નું સ્થળ પર મુર્ત્યું થયું અને ગાય ઈજાગ્રસ્ત થઇ હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/IMG-20200314-WA0011_copy_576x568-1.jpg)
આ જાણ માનવ અને પશુ સેવકો ને થતા મુસ્લિમ સમાજ અને ભરવાડ સમાજના યુવાનોએ લોડિંગ રીક્ષા લઇને સ્થળ પર ગયેલ અને હિન્દુ મુસ્લીમ ભાઈઓએ ગાય ને ઉચકીને લોડિંગ રીક્ષામાં બેસાડીને વિરમગામની પાંજરાપોળમાં પોતાના સ્વખર્ચે ઇજાગ્રસ્ત ગો માતાને ધાસ ચારો અને સારવાર મળી રહે તેવા હેતુસર પાંજરાપોળ ખાતે મુકિ આવ્યા હતા ત્યાં ગાયને સારવાર આપવામાઆવિ હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/20200328_131229_copy_432x393.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)