Placeholder canvas

ધર્મના નામે રાજકારણ : ‘મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે. -ઈન્દ્રીલ રાજ્યગુરૂ

રાજકોટમાં હવે ધર્મના નામે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જંગલેશ્વરની સભામાં નિવેદન આપ્યું. ઈન્દ્રનીલે કહ્યુ કે, “મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે, હું સોમનાથ ભક્તો સાથે બસમાં જાવ કે અજમેર મુસ્લિમ સાથે ટ્રેનમાં જાવ બંનેમાં સરખી ખુશી મળે છે, મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે” વધુમાં ઈન્દ્રનીલે લઘુમતી સમાજને સંબોધતા કહ્યું કે, “હું અલ્લાહનો નારો બોલાવીશ, તમે મહાદેવ બોલજો..”

એક તરફ વિવાદોનો વંટોળ અને બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે..જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ચૂંટણી પંચના નિયમો હેઠળ કામગીરી થઈ રહી છે. મતદાનના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કામગીરી હાથ ધરાઈ છે..રાજકીય પક્ષોની સાથે સરકારી વિભાગો દ્વારા પણ અલગ અલગ કામગીરી હાથ ધરાઈ છે.

આ સમાચારને શેર કરો