Placeholder canvas

વાંકાનેરના તાલુકાના ક્યાં ગામોમાં વીજકાપ રહેશે? જાણો

વાંકાનેર : વાંકાનેરમાં વીજતંત્રને અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી ૧૧ કે.વી.ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ પૂર્ણ થતા જ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

વાંકાનેરમાં ૬૬ કે.વી.પનેલી,રાતાવીરડા-૧,રાતાવીરડા-૨,માટેલ-૧, માટેલ-૨, રાજગઢ સબસ્ટેશન તથા ૬૬ કે.વી DIYAN,SPENTO(EHV Consumer)ના વિસ્તારોમાં આગામી તા.23ને બુધવારના રોજ તથા ૬૬ કેવી ઢુવા સબસ્ટેશન તથા ૬૬ કે.વી MAKSON,JET (EHV Consumer)ના વિસ્તારોમાં તા.2/3/22ને બુધવારના રોજ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સબસ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ વહેલું પૂરું થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમ કાર્યપાલક ઇજનેર, પ્રવહન વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો