Placeholder canvas

વાંકાનેર: બંધ મકાનમાં રોકડ અને ચાંદીની વસ્તુઓ સહીત રૂ. 87,200ની ચોરી

વાંકાનેરમાં ઘરફોડ ચોરીનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. જેમાં તસ્કરો રોકડ, ચાંદીની વસ્તુઓ સહીત રૂ. 87,200નો મુદામાલ ઉઠાવી ગયા છે.

વાંકાનેરમાં પ્રતાપપરા શેરી નં. 1માં લતાબેન ચંદુલાલ મહેતાના બંધ મકાનના ગત તા. 5ના 9-45 વાગ્યાથી તા. 6ના 10 વાગ્યા દરમિયાન તસ્કરો મેઇન દરવાજાનો નકુચો તોડી તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડી મકાનમા પ્રવેશી,

રૂમમા રહેલા બે કબાટ કોસ જેવા હથીયાર વાપરી તેને ખોલી કબાટમા પેટીમા રહેલ રોકડ રૂ. 22000 તથા બીજા કબાટમા રહેલ રોકડ રૂ. 18500 તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ રૂ. 87200ની ચોરી કરી લઇ ગયા છે. હાલમાં વાંકાનેર સીટી પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો