ચેમ્પિયન્સ ટ્રૉફીમાં જો ભારત પાકિસ્તાનમાં રમવા નહિ જાય તો તેમની જગ્યાએ ક્યાં દેશની ટિમ રમશે? જાણો.
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નો મુદ્દો ક્રિકેટ જગત પર છવાયેલો છે, ખાસ કરીને ભારતનો પાકિસ્તાન જવાનો ઇનકાર ICC માટે મોટી સમસ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને આવી સ્થિતિમાં ICC દ્વારા શિડ્યૂલ સાથે સંબંધિત ઈવેન્ટને રદ્દ કરવાને કારણે ક્રિકેટ ચાહકો સમક્ષ નવા સવાલો ઉભા થઈ ગયા છે.
જો પાકિસ્તાન પણ હાઈબ્રિડ મૉડલ અપનાવવાનો પોતાનો આગ્રહ ન છોડે અને જો આવી સ્થિતિ સર્જાય તો ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતનું સ્થાન કઈ ટીમ લઈ શકે?
ચેમ્પિયન્સ ટ્રૉફીની પ્રથમ આઠ એડિશનમાં જે આઠ ટીમો રેન્કિંગમાં પ્રથમ આઠ સ્થાને હતી તે ક્વૉલિફાય થઈ હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નું ફોર્મેટ એવું છે કે 2023 ODI વર્લ્ડકપના ટેબલમાં ટોપ-8માં રહેલી આઠ ટીમો ચેમ્પિયન્સ ટ્રૉફી માટે દાવો કરતી જોવા મળશે. આનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રૉફીમાં સીધો પ્રવેશ મેળવનારી આઠ ટીમોના નામ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.
કોણ કરશે ભારતને રિપ્લેસ ?
ત્યારથી ચેમ્પિયન્સ ટ્રૉફીની આઠ ટીમો વર્લ્ડકપના પૉઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવી છે. તેથી જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભાગ નહીં લે તો તેનું સ્થાન શ્રીલંકાને આપવામાં આવશે. ODI વર્લ્ડકપ 2023ના પૉઈન્ટ ટેબલમાં શ્રીલંકા નવમા ક્રમે હતું. આ હકીકતને નકારી શકાય નહીં કે ક્રિકેટમાં ભારતીય બજારને જોતા જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ નહીં લે તો ICCને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.
એકતરફ હાઈબ્રિડ મૉડલ અપનાવવાનો વિષય પણ ચર્ચામાં છે, પરંતુ અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ પોતાનો આગ્રહ છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.
2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તેની ફાઈનલ મેચ 9 માર્ચના રોજ રમાવાની છે. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં શરૂ થવાની છે, પરંતુ તે હાઇબ્રિડ મૉડલમાં રમાઇ શકાય છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંકીને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તેમના બોર્ડને BCCI તરફથી કોઈ સત્તાવાર સંદેશાવ્યવહાર મળ્યો નથી, પરંતુ મૂળ આયોજક હોવાને કારણે, પાકિસ્તાનને નવીનતમ ઘટનાઓ વિશે જાણ કરવી તે ICCનો વિશેષાધિકાર છે.

