Placeholder canvas

પિતાએ પુત્રને ફોનમાં કહ્યુ, ‘મેં તારી માને મારી નાંખી છે’

રાજકોટ: 55 વર્ષીય કમળા પરમાર નામની પરિણીતાની હત્યા તેના પતિ પ્રેમજી પરમાર દ્વારા કરી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળના સર્વોદય સોસાયટીમાં આવેલા ગોવિંદ નગર ખાતે રહેતા પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર શુક્રવારના રોજ સાંજના સમયે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કમળા પરમારના પતિ પ્રેમજી પરમાર દ્વારા તેને બોથડ પદાર્થ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. તો સાથે જ પોતાના ત્રણ દીકરા પૈકી સૌથી મોટા દીકરા બાબુ પરમારને ફોન કરીને તારી માને મારી નાખી છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ ઘરને તાળું મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલાની જાણ બાબુ પરમારને થતા તેને શાપર વેરાવળ ખાતે મજૂરી કામ કરનારા પોતાના બંને ભાઈઓને ફોન દ્વારા જાણ કરી હતી. તાત્કાલિક અસરથી મરણ જનાર કમળા પરમારના બંને પુત્ર પોતાના ઘરે પહોંચ્યા હતા ત્યારે ઘરને તાળું લાગેલું જોવા મળ્યું હતું. તાળું ખોલીને ઘરની અંદર પોતાની માતા કમળા પરમાર બેભાન હાલતમાં જોવા મળી હતી. ત્યારે તાત્કાલિક અસરથી 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારે 108 મારફતે કમળા પરમારને બેભાન હાલતમાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કરી હતી.

આ સમાચારને શેર કરો