Placeholder canvas

વાંકાનેર: ખીજડીયા ગામે પતિએ પત્ની તથા દિકરી પર છરી વડે કર્યો હુમલો…

વાંકાનેર: ખીજડીયા ગામે રહેતી પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી તેના પતિએ છરી વડે હુમલો કર્યો હતો, માતાને છોડાવવા વચ્ચેપડેલ દીકરીને પણ માથાફરેલ પિતાએ છરીથી ઇજા પહોંચાડતા આ બાબતે પિડિત મહિલાએ પતિ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામેં રહેતા દયાબેન કમલેશભાઇ ગોગીયા (ઉ.વ. 40) નામની પરિણીતાએ તેના પતિ કમલેશભાઈ ગોવિંદભાઈ ગોગીયા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના આરોપી પતિએ ફરિયાદી પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા દયાબેનની પુત્રી વચ્ચે છોડાવવા પડતા ઉશ્કેરાયેલા આરોપી કમલેશે દિકરીને પણ છરીથી ઈજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે ફરિયાદી દયાબેને આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો