Placeholder canvas

કુવાડવા નજીક પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ

જમવાનું બનાવવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતા પત્નીને લાકડી અને પથ્થર વડે મારમાર્યો હતો

કુવાડવા ગામ નજીકથી મંજુબેન ભરતભાઈ વસાવા(ઉ.વ.53)નામના મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આ હત્યા કોણે કરી? એ મામલે પોલીસે તપાસ શરુ કરી હતી તેવામાં જાણ થઈ કે નજીકમાં જ દેવશીભાઈ કાકડીયાની વાડીએ પતિ ભરત ચંદુ વસાવા સાથે કામ કરતા હતા અને બંને વચ્ચે જમવા બાબતે માથાકૂટ થતા ભરતે પત્નીને લાકડી વડે બાદમાં મોટા પથ્થર વડે મારમાર્યો હતો.જેથી ગંભીર રીતે ઘવાયેલી મંજુબેનનું ભાગવા જતા થોડે દુર મોત નીપજ્યું હતું.

આ ઘટના માં કુવાડવા પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમાની રાહબરીમાં પીએસઆઈ પી.જી.રોહડિયા અને હિતેષભાઈ ગઢવીએ કાર્યવાહી કરી હતી.અને આરોપી ભરત ચંદુ વસાવાની ગઈકાલે ધરપકડ કરી હતી.આ બનાવમાં મૃતકના ભત્રીજાને ફરિયાદી બનાવી ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો