Placeholder canvas

આગામી સોમવારે મોરબી જિલ્લામાં જાહેર રજા…

આગામી તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે જેમાં ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારી રહ્યા છે.

સમગ્ર મોરબી જિલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના મોરબી ખાતે યોજાનાર ૨૦૦માં જન્મોત્વ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી તા. ૧૨/૦૨/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો