Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા રહેશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે

વાંકાનેર માર્કેટિંગ સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓને જાણ કરવામા આવે છે કે તા. ૧૨-૨-૨૦૨૪ ને સોમવાર ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વીતીની જન્મ જયંતિ નિમિતે ૨૦૦માં જન્મોત્સવ જ્ઞાન જયોતિ પર્વ-સ્મરણોત્સવ સમારોહ મોરબી જીિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે, જેમાં ભારતના મહામહીમ માન.રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે. સરકારનો જાહેર રજા અંગેનો તા.૫-૨-૨૦૨૪ના પરિપત્ર અનુસંધાને યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. જેની નોંધ લેવાનું યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો