Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા.૧૪થી૨૧ સુધી રજા, ૨૨મી ઓગસ્ટથી ચાલુ થશે.

વાંકાનેર: ઓગસ્ટ મહિનો એટલે રજાનો મહિનો, ઓગસ્ટ મહિનામાં દસેક જેટલી રજાઓ આવે છે. જેમની અસર દરેક સરકારી કચેરી અને સંસ્થાઓમાં જોવા મળે છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરી એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ 14 થી 21 ઓગસ્ટ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સંપૂર્ણ રજા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 14મી ઓગસ્ટ ને રવિવાર છે 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ જ્યારે તા.16 ઓગષ્ટ થી 20 ઓગષ્ટ સુધી જન્માષ્ટમી પર્વની રજાઓ રહેશે જ્યારે તા.21ઓગષ્ટના રવિવાર હોવાથી રજા રહેશે. જેથી તારીખ 14મી ઓગસ્ટ થી 21મી ઓગસ્ટ સુધી એટલે કે 8 દિવસની સતત રજા રહેશે. ત્યાર બાદ એટલે કે તા.22ઓગષ્ટ 2022ને સોમવાર થી રાબેતાબ મુજબ યાર્ડ ચાલુ રહેશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદન વેચવા માટે આવતાં ખેડૂતો અને કમિશન એજન્ટો તથા વેપારી ભાઇઓએ ઉપરોક્ત રજાની નોંધ લેવી. ખેડૂત ભાઈઓએ કોઈપણ રજાના ગાળામાં કોઈ પણ જણસી વેચવા માટે લાવવી નહિ.

આ સમાચારને શેર કરો